________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૭) ઉ. ઉપાદાન તે મુખ્ય કારણ છે અને નિમિત્ત તે ઉપચાર કારણ
| મુખ્યનો અર્થ નિશ્ચય અને ઉપચારનો અર્થ વ્યવહાર થાય છે. (જાઓ, કલકત્તાવાળું પુરુષાર્થસિદ્ધયુપાય ગા. રરર ની હિંદી ટીકા-પાનું ૧૨૨; અને છ ઢાલા-ઢાલ ૬ ની ગાથા-૧૪.) પ્ર. ૪૩૩-નિમિત્ત-ઉપાદાનના પ્રશ્નોમાં શો સિદ્ધાંત રહેલો છે? ઉ. ૧. (૧) કોઈ એકલા ધ્રુવ ઉપાદાન કારણને માને પણ
ક્ષણિક ઉપાદાન તથા નિમિત્ત કારણોને ન માને. (૨) કોઈ ધ્રુવ ઉપાદાન કારણને તથા નિમિત્ત કારણને માને પણ ક્ષણિક ઉપાદાન કારણને ન માને, (૩) કોઈ ક્ષણિક ઉપાદાન કારણને માને પણ ધ્રુવ ઉપાદાન તથા નિમિત્ત કારણોને ન માને, (૪) કોઈ નિમિત્ત કારણને જ માને પણ ધ્રુવ અને ક્ષણિક ઉપાદાન કારણોને ન માને તો તેમની આ ચારેય પ્રકારની માન્યતાઓ મિથ્યા છે. ૨. ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે. નિમિત્ત કારણ
કાર્યકાળ હોય છે, પણ તે નિમિત્ત કારણની રાહ જોવી પડે કે તેને મેળવવાં પડે એમ કોઈ માને તો તે માન્યતા મિથ્યા છે. ૩. નિમિત્ત પર છે, તેથી તે મેળવી શકાતું નથી. છતાં કોઈ
બાહ્ય સામગ્રીરૂપ નિમિત્તકારણો શોધવાના નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુલતા થયા વિના રહે નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com