________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૩) ૨. બનારસીવિલાસ-ઉપાદાન-નિમિત્ત-દોહામાં કહ્યું છે
ઉપાદાન નિજ ગુણ જહ, તહેં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પ્રમાણ વિધિ, વિરલા બૂઝે કોય.
અર્થ- જ્યાં નિશક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે; એવો ભેદજ્ઞાન પ્રમાણનો વિધિ (વ્યવસ્થા) છે; આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે.
[ અહીં ઉપાદાન-નિમિત્ત બન્નેને જ સમગ્રપણે સમર્થકારણ કહેલ છે.]
૩. “ કોઈ કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્ય સિદ્ધ સર્વથા ન થાય; જેમ:- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એમ થયા વિના સર્વથા મોક્ષ ના
થાય.)
(મોક્ષમાર્ગપ્રકાશક-ગુજરાતી આવૃત્તિ, પા. ૩૧૫) [ અહીં ક્ષણિક ઉપાદાનને સમર્થકારણ કહ્યું છે, પણ ત્યાં ઉચિત કર્મનો અભાવ નિમિત્તકારણ હોય છે એમ સમજવું] પ્ર. ૪૨૦-અસમર્થકારણ કોને કહે છે? ઉ. “ભિન્ન ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થકારણ કહે છે. અસમર્થકારણ. કાર્યનો નિયામક નથી.
(જૈ. સિ. પ્રવેશિકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com