________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૯) કર્મની સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે. પરંતુ ખરેખર જડકર્મ
જીવને નરકમાં લઈ જાય છે એમ બતાવવા માટે તે
કહ્યું નથી. (ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૩, સૂ ૬ ની ટીકા) પ્ર. ૪૧૫-ઉપાદાન અને નિમિત્ત કારણોને બીજા કયા નામોથી ' કહેવામાં આવે છે? ઉ. ૧. ઉપાદાનને અંતરંગ કારણ અને નિમિત્તને બહિરંગ
કારણ કહેવામાં આવે છે. ૨. ઉપાદાનને અનુપચાર (નિશ્ચય) અને નિમિત્તને ઉપચાર
(વ્યવહાર) કારણ કહેવામાં આવે છે. ૩. નિમિત્ત કારણને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. પ્ર. ૪૧૬- નિમિત્ત કારણોમાં કયા કયા ભેદ પડે છે? ઉ. ૧. અનેક નિમિત્ત કારણોમાં જે મુખ્ય નિમિત્ત હોય તેને
અંતરંગ (નિમિત્ત) કારણ કહેવામાં આવે છે અને ગૌણ નિમિત્ત હોય તેને બહિરંગ (નિમિત્ત) કારણ
કહેવામાં આવે છે. તેના દષ્ટાંતો:(૧) કર્મબંધન માટે આત્માના યોગને બહિરંગ ( નિમિત્ત)
કારણ અને જીવના રાગાદિ ભાવને અંતરંગ (નિમિત્ત) કારણ કહે છે.
(જુઓ, પંચાસ્તિકાય-ગા. ૧૪૮ ની ટીકા) (૨) “વળી વ્રત, દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય
નિમિત્તસાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com