________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તો ત્યાં જડ કર્મનું જોર છે અને જડ કર્મ જીવને નરકમાં
લઈ જાય છે, તેથી જવું પડે છે-આ વાત ખરી છે કે નહિ? ઉ. ૧. એ વાત ખરી નથી; એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી
શકે નહિ. માટે જડ કર્મ જીવને નરકમાં લઈ જાય એમ
બનતું નથી. ૨. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ કોઈ જીવ નરકમાં જવા
માગતા નથી, છતાં જે જે જીવો નરકક્ષેત્રે જવા લાયક હોય તે તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણમનના કારણે ત્યાં જાય છે. તે વખતે કાર્પણ અને તૈજસ શરીર પણ તેમની પોતાની (પુગલ પરમાણુઓની) ક્રિયાવતીશક્તિના પરિણમનના કારણે
તે ક્ષેત્રે જીવની સાથે જાય છે. ૩. વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે અને ઈચ્છા તે ચારિત્રગુણનો વિકારી પર્યાય છે. દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે, તેથી જીવની ઇચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવતીશક્તિનું પરિણમન તેનાથી (અભિપ્રાય અને ઈચ્છાથી) સ્વતંત્રપણે, તે વખતના તે પર્યાયના ધર્મ
અનુસાર થાય છે.. ૪. નરકગતિનો ભવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો
હતો. તેથી યોગ્ય સમયે તેના ફળરૂપે જીવની પોતાની લાયકાતના કારણે નારકીનું ક્ષેત્ર સંયોગરૂપે હોય છે; કર્મ તેને નરકમાં લઈ જતું નથી. કર્મ ના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચાર-કથન છે. જીવન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com