________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૬)
નથી; માટે સુખ-દુઃખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને (નિમિત્તને) દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે, તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ-દુઃખ ના ભાસતાં પોતાના પરિણામથી જ સુખ-દુઃખ ભાસે.”
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પાનું ૬૪ ) પ્ર. ૪૧૩-નિમિત્ત પામીને ઉપાદાન પરિણમે એ કથનનો અર્થ શો ? ઉ. ૧. “જેઓ ગુણોને અને પર્યાયોને પામે-પ્રાપ્ત કરે-પહોંચે
છે. એવા “અર્થો' તે દ્રવ્યો છે; જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પામે પ્રાપ્ત કરે-પહોંચે છે. એવા “અર્થો' તે ગુણો છે. જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામે-પ્રાત-કરોપહોંચે છે.....એવા “અર્થો” તે પર્યાયો છે.”
(પ્રવચનસાર-ગાથા ૮૭ની ટીકા) ૨. “ઉપાદાન નિમિત્તને પામીને પરિણમે ” એ કથન
વ્યવહારનયનું છે, તે માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથન છે. ઉપાદાન કદી પણ નિમિત્તને ખરેખર પામતું નથી, માટે “કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે”—એમ
જાણવું.” (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, પા, ૨૫૬ ) ૩. “તેવી રીતે જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું
દ્રવ્ય પણ-કે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com