________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૫) ઉ. ૧. જીવ સદાય અરૂપી હોવાથી તેને સોયનો સ્પર્શ થઈ શકે
નહિ. એક આકાશક્ષેત્રે સોયનો સંયોગ થયો તે દુઃખનું કારણ નથી, પણ અજ્ઞાની જીવને શરીરની અવસ્થા સાથે એકત્વ-મમત્વબુદ્ધિ હોય છે, તેથી તેને જે દુઃખ થાય છે તે સોય શરીરમાં પેસવાના કારણે નહિ પણ તે
પ્રસંગે પ્રતિકૂળતાની ખોટી કલ્પનાથી થાય છે ૨. જ્ઞાનીને નીચલી દશામાં જે અલ્પ રાગ છે તે શરીર
સાથે એકત્વબુદ્ધિનો રાગ નથી; પોતાની ક્ષણિક નબળાઈના કારણે, તેને જેટલો રાગ છે તેટલું દુઃખ થાય છે. સોયના કારણે જ્ઞાની કે અજ્ઞાનીને-કોઈને દુ:ખ થતું નથી. જ્ઞાની અલ્પ દુઃખરૂપ વિકારનો જ્ઞાતા જ છે, પણ તેનો સ્વામી નથી. અજ્ઞાની પર સાથે
એકત્વ બુદ્ધિ કરી વિકારનો સ્વામી બની દુઃખી થાય છે. ૩. “...સામગ્રીને આધીન સુખ-દુઃખ નથી, પણ શાતા
અશાતાનો ઉદય થતાં મોહસ્પરિણામોના નિમિત્તથી જ સુખ-દુઃખ માનીએ છીએ.”
મુનિજનો શરીરની પીડા થતાં પણ તેમાં કાંઈ દુ:ખ માનતા નથી, માટે સુખ-દુ:ખ માનવું એ મોહના જ આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તેથી શાતા-અશાતાના ઉદયથી સુખ-દુઃખ થવું ભાસે છે.”
કેવળી ભગવાનને શાતા-અશાતાનો ઉદય તથા સુખ-દુ:ખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર પણ સુખ-દુ:ખ થતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com