________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય-એ ત્રણ સ્વભાવયુક્ત) હોય છે અને કાર્યના ઉત્પાદ સમયે બહિરંગ સાધનો (નિમિત્ત) ની હાજરી હોય છે જ. (જાઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧૦૨ ની ટીકા ). આથી સિદ્ધ થાય છે કે ઉત્પાદ, વ્યય, દ્રૌવ્ય અને બહિરંગ સાધનો (નિમિત્ત) નો સમય એક જ હોય છે. એવો સ્વાભાવિક નિયમ જ છે. તેથી કાર્યની ઉત્પત્તિસમયે ઉચિત નિમિત્ત હોય જ છે; તેથી નિમિત્તની ઉપસ્થિતિ- અનુપસ્થિતિનો કે તેની રાહ જોવાનો પ્રશ્ન જ રહેતો નથી. ૮. નિમિત્ત વિના ઉપાદાન બળહીન છે અને નિમિત્તની
સહાય વિના કાર્ય થતું નથી–એવા બે પ્રશ્નો ઉપસ્થિત કરી ૫. બનારસીદાસજીએ પોતાના રચેલા દોહામાં, એ
માન્યતા ખરી નથી એવો ખુલાસો કરતાં કહ્યું છે કે(૧) જ્યાં ઉપાદાન નિશ્ચય હોય છે ત્યાં નિમિત્ત વ્યવહાર
હોય છે જ. (૨) જ્યાં ઉપાદાન નિજગુણ હોય ત્યાં નિમિત્ત પર હોય
જ છે. (૩) જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો
દાવ કદી પણ નથી. (૪) જ્યાં દરેક વસ્તુ અસહાય (સ્વતંત્રપણે) સધે છે
(પરિણમે છે), ત્યાં નિમિત્ત કોણ છે?
[ આ દોહા જિજ્ઞાસુએ ખાસ સમજવા જેવા છે. ] પ્ર. ૪૧૩-નિમિત્ત ઉપાદાનને કંઈ કરી શકતું નથી, તો શરીરમાં
સોય પેસી જવાથી જીવને દુઃખ કેમ થાય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com