________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૬) (૨) “ઉપાદાન નિજગુણ જહાં, તહં નિમિત્ત પર હોય. ભેદજ્ઞાન પરવાન વિધિ, વિરલા બૂઝે કોય.”
(બનારસી વિલાસ) અર્થ- જ્યાં નિજશક્તિરૂપ ઉપાદાન હોય ત્યાં પર નિમિત્ત હોય છે જ. એમ ભેદજ્ઞાન પ્રમાણનો વિધિ (વ્યવસ્થા) છે. આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે.
ભાવાર્થ- જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય જ છે. નિમિત્તની રાહ જોવી પડે તેવું હોતું નથી, અને નિમિત્તને એમ મેળવી શકીએ છીએ, એવું પણ હોતું નથી. નિમિત્તની રાહ જોવી પડે છે યા તેને હું લાવી શકું એવી માન્યતા પર પદાર્થોમાં અભેદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનસૂચક છે. ઉપાદાન અને નિમિત્ત બને અસહાયરૂપ સ્વતંત્ર છે એ તેમની મર્યાદા છે. (૩) “ઉપાદાન બલ જë, તë, નહીં નિમિત્તકો દાવ; એક ચકસૌ રથ ચલે, રવિકો યહે સ્વભાવ.”
(બનારસી વિલાસ) અર્થ- જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે. (નિમિત્ત હોય છે, પરંતુ નિમિત્તનો (કાર્ય કરવામાં) કંઈ પણ દાવ (બળ) નથી. એક ચક્રથી રવિ (સૂર્ય) નો રથ ચાલે છે તે તેનો સ્વભાવ છે.
[ તેમ પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતાથી (સામર્થ્યથી) જ થાય છે.] પ્ર. ૪૦૭-“હોં જાને થા એક હી, ઉપાદાનસો કાજ; થકે સહાઈ પોન બિન પાની માંહિ જહાજ.”
(બનારસી વિલાસ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com