________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૦) પ્ર. ૩૯૩-નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કોને કહે છે? ઉ. જ્યારે ઉપાદાન સ્વયં સ્વતઃ કાર્ય રૂપ પરિણમે છે ત્યારે
ભાવરૂપ યા અભાવરૂપ કયા ઉચિત (યોગ્ય) નિમિત્તકારણનો તેની સાથે સંબંધ છે તે બતાવવા માટે એ કાર્યને નૈમિત્તિક કહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે.
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરસ્પરની પરતંત્રતાનો સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથમાં કોણ નિમિત્તરૂપ પદાર્થ છે તેનું તે જ્ઞાન કરાવે છે.
જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહ્યું છે, તેને પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય પણ કહે છે. (૧) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બને સ્વતંત્ર પર્યાયો વચ્ચે
હોય છે. (૨) નિમિત્ત અને નૈમિત્તિકનું સ્વચતુષ્ટય (દ્રવ્ય-ક્ષેત્ર
કાલ-ભાવ) ભિન્ન ભિન્ન છે. (૩) ઉપાદાન-ઉપાદેય સંબંધ એકજ પદાર્થને લાગુ પડે છે. (૪) કાર્યને નિમિત્તથી ઓળખાવતાં, તે નૈમિત્તિક કહેવાય
છે, અને તે જ કાર્યને ઉપાદાનથી ઓળખાવતાં તે
ઉપાદેય કહેવાય છે. પ્ર. ૩૯૪-પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્તનાં દષ્ટાંતો
આપો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com