________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૯) થાય છે કે ગતિક્રિયા, જીવની ઈચ્છાનુસાર થઈ શકી નહિ. વાસ્તવિક રીતે જોઈએ તો શરીર અને જીવની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા જ તેવી હતી તેથી તે પ્રમાણે ગતિ થઈ. પ્ર. ૩૯૧-શીધ્ર ગતિ કરતી મોટરાદિ તો તેમાં નિમિત્તમાત્ર છે;
પણ પુદ્ગલ-કર્મ, મન-વચન-કાય, ઇન્દ્રિયોનો ભોગ, ધન, ઘરનાં માણસો, મકાન ઈત્યાદિ જીવને રાગ-દ્વેષરૂપ
પરિણામ કરવામાં પ્રેરક છે? ઉ. છએ દ્રવ્યો બધાં પોતપોતાના સ્વરૂપથી સદા અસહાય
(સ્વતંત્ર) પરિણમન કરે છે; કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક કદી નથી; તેથી કોઈ પણ પારદ્રવ્ય રાગ-દ્વેષનું પ્રેરક નથી, પરંતુ જીવનો મિથ્યાત્વમોહરૂપ ભાવ છે તે જ (અનંતાનુબંધી) રાગ-દ્વેષનું કારણ છે.
( જુઓ, પ્રકરણ ૫, પ્રશ્ન ૩૩૧ નો ઉત્તર-૯). પ્ર. ૩૯ર-પુદ્ગલકર્મની જોરાવરીથી જીવને રાગ દ્વેષ કરવો પડે
છે; પુદ્ગલ દ્રવ્ય, કર્મોના વેષ ધારણ કરી જ્યાં-જ્યાં બળ કરે છે ત્યાં ત્યાં જીવને રાગ-દ્વેષ અધિક થાય છે એ વાત
સત્ય છે? ઉ. ના; કારણ કે જગતમાં પુદ્ગલનો સંગ તો હંમેશા રહે છે.
જો તેની જોરાવરીથી જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવરૂપ થવાનો કદી અવસર આવી શકે નહિ; તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ યા અશુદ્ધ પરિણમન કરવામાં
ચેતન સ્વયં સમર્થ છે. (સમયસાર નાટક-સર્વવિશુદ્ધ દ્વાર, કાવ્ય ૬૧ થી ૬૬.).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com