________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૫) ઉ. (૧) જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ
કહે છે; જેમ કે ઘડાની ઉત્પત્તિમાં માટી તેનું ત્રિકાળી
ઉપાદાનકારણ છે. (દ્રવ્યાર્થિક નયે છે.) (૨) અનાદિકાલથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલ્યો
આવે છે તેમાં અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉપાદાનકારણ છે અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. જેમ કે, માટીનો ઘડો થવામાં, માટીનો પિંડ તે ઘડાનો અનન્તર પૂર્વક્ષણવર્તી પર્યાય છે અને ઘડારૂપ કાર્ય તે પિંડનો અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય છે. અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાયનો વ્યય તે ક્ષણિક ઉપાદાનકારણ કહેવાય છે.
(પર્યાયાર્થિક નયે છે.) (૩) એ સમયના પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે
અને તે જ પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (વાસ્તવિક ) કારણ (પર્યાયાર્થિક નયે ) છે.
[આધાર:- ધ્રુવ ઉપાદાન તથા ક્ષણિક ઉપાદાન માટે જાઓ (૧) અષ્ટસહસ્રી શ્લોક ૫૮ ટીકા પા. ૨૧૦, (૨) ચિવિલાસ પા. ૩૬, (૩) જ્ઞાનદર્પણ પા. ૨૫-૪૦-પ૬.] પ્ર. ૩૮૩– યોગ્યતા કોને કહે છે? ઉ. “યોગ્યતૈવ વિષયપ્રતિનિયમવરનિતિ”
(ન્યાયદીપિકા પૃ. ૨૭) ૧. યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે.
[ આ કથન જ્ઞાનની યોગ્યતા (સામર્થ્ય) ને લઈને છે, પરંતુ યોગ્યતાનું કારણ પણે સર્વમાં સર્વત્ર સમાન છે. ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com