________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૬). ૨. સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત-એ “યોગ્યતા' શબ્દનો અર્થ છે. પ્ર. ૩૮૪-નિમિત્ત કારણ કોને કહે છે? ઉ. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં
અનુકૂળ હોવાનો જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે; જેમ કે, ઘડાની ઉત્પત્તિમાં કુંભકાર, દંડ, ચક્ર, વગેરે નિમિત્ત કારણો છે. (નિમિત્તે સાચું કારણ નથી તે અકારણવત્* અહેસુવત્ છે, કારણ કે તે ઉપચાર
માત્ર અથવા વ્યવહાર કારણ છે.) પ્ર. ૩૮૫-નિમિત્ત કારણના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-(૧) પ્રેરક નિમિત્ત અને (૨) ઉદાસીન નિમિત્ત. પ્ર. ૩૮૬-પ્રેરક નિમિત્ત કોને કહે છે? ઉ. ગમનક્રિયાવાળા જીવ, પુદ્ગલો તથા ઇચ્છાદિવાળા જીવો
પ્રેરક નિમિત્ત કહેવાય છે, પ્રેરક નિમિત્ત બળજબરીથી ઉપાદાનમાં કાર્ય કરી દે છે કે પ્રભાવાદિ પાડી શકે છે એમ સમજવું નહિ, કારણ કે બન્ને પદાર્થોનો એકબીજામાં
અભાવ છે. પ્રેરક નિમિત્ત ઉપાદાનને પ્રેરણા કરતું નથી. પ્ર. ૩૮૭–ઉદાસીન નિમિત્ત કોને કહે છે? ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળાદિ નિષ્ક્રિય
(ગમનક્રિયા રહિત) કે રાગ રહિત દ્રવ્યોને ઉદાસીન નિમિત્ત કહે છે.
* પંચાધ્યાયી ભા. ૨. –ગાથા ૩૫૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com