________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૦) પરિણમે છે. ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવ રૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી. શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુ છે...........”
(શ્રી સમયસાર ગા. ૩૨૮ થી ૩૩૧ નો ભાવાર્થ) (વધુ ખુલાસા માટે જુઓ આગળના પ્રશ્નનો ઉત૨)
વળી બીજી રીતે જોતાં આત્મા સ્વતંત્રપણે વિકાર કરતો હોવાથી તે પોતાનો હેતુ છે, તેથી તે અપેક્ષાએ સહેતુક છે, અને પર તેનો ખરો હેતુ નથી, તેથી તે અપેક્ષાએ અહેતુક છે. પ્ર. ૩૬૯-એક જીવ બીજા જીવનો ઘાત કરી શકે ? ઉ. ના; કારણ કે
૧. અસ્તિત્વગુણના કારણે કોઈ જીવ કે પદાર્થનો કદી નાશ થતો નથી; તેથી કોઈ કોઈને મારી કે જીવાડી શકે નહિ.
૨. સંયોગરૂપ જડ શરીર પણ સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય-છે, તેનો પણ કોઈ નાશ કરી શકે નહિ.
૩. શરીરનો વિયોગ થાય તેનો વ્યવહારે ઘાત (નાશ) કહેવાય. જીવ અને શરીરનો વિયોગ પોતપોતાની યોગ્યતાથી થાય છે, તેમાં આયુકર્મ પૂરું થયું તે નિમિત્ત છે.
૪. ઘાત કરનાર જીવ બીજાને ઘાત કરવાનો કપાયભાવ કરી પોતાના શુદ્ધ ચૈતન્યભાવનો જ ફકત ઘાત કરી શકે, બીજાં કંઈ કરી શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com