________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૮) બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા છે. પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી.” (શ્રી સમયસાર ગાથા-૮૦-૮૧-૮૨)
જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવોનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવ વડ પરભાવનું કરાવું અશકય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય
(શ્રી સમયસાર ગા. ૮૦ થી ૮૨ ની ટીકા) ૩. “...... સંસાર અને નિઃસંસાર અવસ્થાઓને
પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાય-વ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિમધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો”
(શ્રી સમયસાર ગાથા ૮૩ ની ટીકા).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com