________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ પાંચમું
કર્તા-કર્માદિ છ કારક અધિકાર
પ્ર. ૩૪૭-કર્તા કોને કહે છે? ઉ. જે સ્વતંત્રતાથી (સ્વાધીનતાથી) પોતાના પરિણામને કરે તે કર્તા છે.
[ પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામનો સ્વતંત્રપણે કર્તા છે. ] પ્ર. ૩૪૮-કર્મ (કાર્ય) કોને કહે છે? ઉ. કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. પ્ર. ૩૪૯-કરણ કોને કહે છે? ઉ. તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ
કહે છે. પ્ર. ૩૫૦-સંપ્રદાન કોને કહે છે? ઉ. કર્મ (પરિણામ-કાર્ય) જેને આપવામાં આવે ત્યા જેને માટે
કરવામાં આવે તેને સંપ્રદાન કહે છે. પ્ર. ૩૫૧–અપાદાન કોને કહે છે? ઉ. જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન
કર્યું છે. પ્ર. ઉપર-અધિકરણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com