________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૯ ). ઉ. તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વ ગુણને ભૂલે છે. (વિશેષ
ખુલાસા માટે જુઓ પ્રશ્ન નં. ૩૪૦ નો ઉત્તર) પ્ર. ૩૪ર-શરીરની ક્રિયાથી (વ્રત, ઉપવાસ, પૂજાદિમાં થતી
શરીરની ક્રિયાથી) મોક્ષમાર્ગ સધાય છે એમ માનનાર કયા
અભાવને ભૂલે છે? ઉ. શરીરની ક્રિયા પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે અને મોક્ષમાર્ગ તે
જીવદ્રવ્યનો શુદ્ધ પર્યાય છે. તે બન્ને વચ્ચે અત્યંતાભાવ છે; તેને તે ભૂલે છે.
મોક્ષમાર્ગ સ્વદ્રવ્યાશ્રિત શુદ્ધ પર્યાય છે, તેથી સ્વદ્રવ્યના આશ્રયરૂપ એકાગ્રતાથી જ મોક્ષમાર્ગ સાધી શકાય છે. જ્યાં વીતરાગભાવરૂપ સાચો મોક્ષમાર્ગ હોય ત્યાં બાહ્ય-નગ્ન નિગ્રંથદશા તથા મહાવ્રતાદિ મૂલગુણોના જે વિકલ્પો તે
ભૂમિકામાં સહુચરપણે હોય છે તે નિમિત્ત કહેવાય છે. પ્ર. ૩૪૩-નિમિત્તથી ખરેખર નૈમિત્તિક (કાર્ય) થાય એમ
માનનાર કયા અભાવને ભૂલ છે? ઉ. (૧) કોઈ પણ એક જીવના નિમિત્તથી ખરેખર બીજા
જીવનું કાર્ય થવું માને અથવા જીવના નિમિત્તથી ખરેખર પુદ્ગલનું (શરીરાદિનું) કાર્ય થવું માને તે
અત્યતાભાવને ભૂલે છે. (૨) એક પુદ્ગલ અથવા અનેક પુદ્ગલના પર્યાયના
નિમિત્તથી ખરેખર બીજા પુદ્ગલના પર્યાય થાય એમ માને તે અન્યોન્યાભાવને ભૂલે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com