________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૭) (૪) શરીર અને જીવ વચ્ચે અત્યંતાભાવ છે, કારણ કે
બન્ને ભિન્ન દ્રવ્યો છે. પ્ર. ૩૩૬-કુંભારે ચક્ર અને દંડ વડે ઘડો કર્યો-એમ નિશ્ચયથી
માનનારે કયા અભાવની ભૂલ કરી? તથા તેમાં શો દોષ થયો ?
ઉ. ઘડાનો; ચક્ર અને દંડમાં અન્યોન્યાભાવ છે, તથા કુંભાર
અને ઘડા વચ્ચે અત્યંતાભાવ છે. તે આ બન્ને અભાવને
ભૂલે છે, તેથી બે દ્રવ્યમાં એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ થાય છે. પ્ર. ૩૩૭–વર્તમાનમાં સમ્યગ્દર્શન પ્રગટ થયું; તેમાં જે અભાવ
લાગુ પડે તે સમજાવો. ઉ. સમ્યગ્દર્શનપર્યાયનો મિથ્યાદર્શનરૂપ પર્યાયમાં પ્રાગભાવ અને
તે પછી શ્રદ્ધા ગુણમાંથી નવા નવા પર્યાયો થાય તેમાં વર્તમાન સમ્યગ્દર્શનપર્યાયનો અભાવ તે પ્રધ્વસાભાવ.
[ શરીર, દ્રવ્યકર્મ, દેવ, ગુરુ, શાસ્ત્રાદિ સર્વ પરપદાર્થોમાં તે સમ્યગ્દર્શન પર્યાયનો અત્યંતભાવ છે, અર્થાત્ શરીર, દ્રવ્યકર્માદિથી સમ્યગ્દર્શન-પર્યાયની ઉત્પત્તિ નથી.] પ્ર. ૩૩૮-ઘાતિકર્મના (જ્ઞાનાવરણ કર્મના) નાશથી કેવળજ્ઞાન
થાય એમ માનવું તે બરોબર છે? ઉ. ના, કારણકે કર્મ અને જ્ઞાન વચ્ચે અત્યતાભાવ છે. જીવ
જ્યારે શુદ્ધ ઉપયોગ વડે કેવળજ્ઞાન અવસ્થા પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com