________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૬ ) કથન છે તે “ઘીના ઘડા” ની જેમ માત્ર વ્યવહારનું જ્ઞાન કરાવે છે. તે સત્યાર્થસ્વરૂપ નથી-એમ સમજવું. પ્ર. ૩૩૪-'જ્ઞાનદિયાભ્યામ્ મોક્ષ:' આ સૂત્રનો અર્થ:
આત્માનું જ્ઞાન અને શરીરની ક્રિયા-એ બન્નેથી મોક્ષ થાય”—એવો જે કરે તે કયા અભાવને માનતો નથી? ઉ. અત્યતાભાવ; કારણ કે પરસ્પર અત્યંતભાવને લીધે કોઈ
આત્મા શરીરની ક્રિયા કરી શકતો જ નથી; માત્ર પર પદાર્થ સંબંધી અહંકારવાળી માન્યતા કરે છે. શરીરની ક્રિયાથી આત્માને લાભ થાય એમ માનનારને જીવ-અજીવ
તત્ત્વનું અજ્ઞાન વર્તે છે. પ્ર. ૩૩પ-નીચેની દરેક જોડમાં ક્યો અભાવ છે? (૧) ઇચ્છા અને ભાષા (૨) ચશ્મા અને જ્ઞાન (૩)
શરીર અને વસ્ત્ર (૪) શરીર અને જીવ. ઉ. (૧) ઇચ્છા અને ભાષા વચ્ચે અત્યતાભાવ, કારણ કે
ઈચ્છા તે જીવના ચારિત્રગુણનો વિકારી પર્યાય છે
અને ભાષા તે પુગલની ભાષાવર્ગણાનો પર્યાય છે. (૨) ચશ્મા અને જ્ઞાન વચ્ચે અત્યંતભાવ; કારણ કે ચશ્મા
પુદ્ગલ સ્કંધ છે અને જ્ઞાન જીવના જ્ઞાનગુણનો
પર્યાય છે. (૩) શરીર અને વસ્ત્ર વચ્ચે અન્યોન્યાભાવ; કારણ કે
શરીર પુદ્ગલપિંડ છે અને વસ્ત્ર પણ પુદ્ગલ સ્કંધ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com