________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૫) જીવ, અજ્ઞાન-મિથ્યાત્વ, રાગાદિ દોષ નવા નવા કરતો આવે છે; તેણે ધર્મ કદી કર્યો નથી, છતાં વર્તમાનમાં નવા પુરુષાર્થથી ધર્મ કરી શકે છે, કારણ કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ વર્તે છે.
(૨) પ્રધ્વસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં
ધર્મ કર્યો નથી, તોપણ જીવ નવીન પુરુષાર્થથી અધર્મ દશાનો તુરત જ વ્યય (અભાવ) કરી
પોતાનામાં સત્ય ધર્મ પ્રગટ કરી શકે છે. (૩) અન્યોન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલ દ્રવ્યનો
વર્તમાન પર્યાય બીજા પુગલના વર્તમાન પર્યાયને, પરસ્પર અભાવને લીધે કંઈ કરી શકતો નથી, અર્થાત્ એકબીજાને મદદ, અસર પ્રભાવ, સહાય, પ્રેરણાદિ કંઈ કરી શકે નહિ. એ સજાતિમાં પણ પરનું કરી શકે નહિ તો તેઓ (પુદ્ગલો), જીવનું શું કરી શકે ?
(૪) અત્યંતભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં
બીજા દ્રવ્યનો ત્રિકાળ અભાવ છે. તેથી એક દ્રવ્ય અન્ય દ્રવ્યના પર્યાયને કંઈ કરી શકે નહિ; અર્થાત્ મદદ, અસર, પ્રભાવ, સહાય, પ્રેરણાદિ કંઈ કરી શકે નહિ.
શાસ્ત્રમાં જે કંઈ અન્યનું કરવા-કરાવવા આદિનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com