________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૯) અને કર્મ નોકર્મના ગ્રહણમાં નિમિત્તરૂપ યોગ્યતાને ભાવ યોગ કહે છે.)
યોગના પંદર ભેદ છે:
૪. મનોયોગ (સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભય મનોયોગ), ૭ કાયયોગ (ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક, વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ), ૪ વચનયોગ ( સત્ય વચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ અને અનુભયવચનયોગ.)
ચતુષ્ટય પ્ર. ૩O૮-સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય એટલે શું? ઉ. સ્વચતુષ્ટય એટલે પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ;
અને પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન એવા પર પદાર્થનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. પ્ર. ૩૭૯-આત્માના સ્વચતુષ્ટય સમજાવો. ઉ. (૧) સ્વદ્રવ્ય-પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી
અભિન્ન તે સ્વદ્રવ્ય. (૨) ક્ષેત્ર-લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે
આત્માનું સ્વક્ષેત્ર. (૩) કાળ-જે નિત્ય સ્વભાવને છોડયાં વિના નિરન્તર
ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવાનવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે નિજ પરિણામનું નામ સ્વકાળ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com