SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes ( ૧૧૦ ) (૪) સ્વભાવ-દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાલી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ. પ્ર. ૩૧૦-પુદ્દગલ પરમાણુના સ્વચતુષ્ટય સમજાવો. ઉ. ( ૧ ) દ્રવ્ય-પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંત ગુણોથી તેમ જ તેના સર્વ પર્યાયો રૂપ અખંડ વસ્તુ તે પુદ્દગલનું સ્વદ્રવ્ય. (૨) ક્ષેત્ર-પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર. (૩) કાળ-નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરન્તર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ સ્વકાળ. (૪) ભાવ-પુદ્દગલ દ્રવ્યના આશ્રયે રહેલા જે સ્પર્માદિ અનંત ગુણો છે તે તેનો સ્વભાવ. પ્ર. ૩૧૧-ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયને સરખાવો. ઉ. ત્રણેનું ક્ષેત્ર સરખું અર્થાત્ એક છે. પ્ર. ૩૧૨-કાળ અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાય સરખાવો. ઉ. દ્રવ્ય અને ગુણો ત્રિકાલ અને પર્યાય એક સમય પૂરતો. પ્ર. ૩૧૩–દ્રવ્ય અને પર્યાયમાં ભેદ-અભેદ સમજાવો. ઉ. સંખ્યાથી દ્રવ્ય એક અને તેના પર્યાયો-અનંત; કાલથી દ્રવ્ય-ત્રિકાલ અને પર્યાય-એક સમયનો; ભાવથી ભેદ; કેમકે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ જાદું જાદું છે. ક્ષેત્ર બન્નેનું સરખું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy