________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૭) પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે; જેમકે પશુધમાં અથવા પાપમાં ધર્મ માનવો. ૫. વિનય મિથ્યાત્વ
સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે.
| [ સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સૌથી પ્રથમ તેના ટળ્યા સિવાય અવિરતિ આદિ બંધનાં કારણો પણ ટળતાં નથી, માટે સૌથી પ્રથમ મિથ્યાત્વ (ગૃહિત અને અગૃહિત) ટાળવું જોઈએ.] પ્ર. ૩૦૩-અવિરતિ કોને કહે છે? ઉ. ૧. નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ
વિકારને અવિરતિ કહે છે. ૨. પટકાયના જીવોની (પાંચ સ્થાવર અને એક ત્રસ
જીવની) હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો તથા પાંચ ઈન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી-એક બાર
પ્રકારે અવિરતિ છે. પ્ર. ૩૦૪-પ્રમાદ કોને કહે છે? ઉ. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યા
નાવરણીય (ક્રોધ, માન, માયા, લોભ) ના ઉદયમાં જોડાવાથી તથા સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી નિરતિચાર ચારિત્ર ન પાળવામાં અથવા નિરતિચાર ચારિત્રપાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની અસાવધાનતાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com