________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૫) ૧. અગૃહીત મિથ્યાત્વ
જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી માન્યતા તે મિથ્યાત્વ છે. અને તે કોઈના શીખવવાથી થયું નથી માટે તે અગૃહીત છે. ૨. ગૃહીત મિથ્યાત્વ
જન્મ થયા પછી પરોપદેશના નિમિત્તથી જીવ જે અતત્ત્વશ્રદ્ધા ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે.
[ અગૃહીત મિથ્યાત્વને નિસર્ગજ મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહે છે. જેને ગૃહિત મિથ્યાત્વ હોય તેને તો અગૃહિત મિથ્યાત્વ હોય જ.] પ્ર. ૩૦૨-ગૃહિત મિથ્યાત્વના કેટલા ભેદ છે? ઉ. તેના પાંચ ભેદ છે-૧ એકાંત મિથ્યાત્વ, ૨. વિપરીત મિથ્યાત્વ, ૩. સંશય મિથ્યાત્વ, ૪. અજ્ઞાન મિથ્યાત્વ અને
૫. વિનય મિથ્યાત્વ. ૧. એકાંત મિથ્યાત્વ
આત્મા, પરમાણુ આદિ પદાર્થનું સ્વરૂપ અનેકાન્તમય (અનેક ધર્મોવાળું) હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મ વાળો માનવો તે એકાંત મિથ્યાત્વ છે; જેમકે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય જ માનવો ગુણ ગુણીનો સર્વથા ભેદ યા અભેદ જ માનવો વગેરે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com