________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૮). ૫. “ક્ષાયિક જ્ઞાન ખરેખર એકી વખતે જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશથી) તત્કાળ વર્તતા કે અતીત, અનાગત કાળે વર્તતા સમસ્ત પદાર્થોને-કે જેમનામાં પૃથકપણે વર્તતા
સ્વલક્ષણોરૂપ લક્ષ્મી (દ્રવ્યોના ભિન્ન ભિન્ન વર્તતાં એવાં નિજ નિજ લક્ષણો તે દ્રવ્યોની લક્ષ્મી) થી આલોકિત અનેક પ્રકારોને લીધે વૈચિય પ્રગટ થયું છે........ તેમને જાણે છે. ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર સર્વથા સર્વેને (દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવરૂપે) જાણે છે.
(શ્રી પ્રવચનસાર-ગાથા ૪૭ની ટીકા) ૬. “જે એકી સાથે (યુપ) સૈકાલિક ત્રિભુવનસ્થ (ત્રણે કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી.”
(શ્રી પ્રવચનસાર ગા. ૪૮) ૭. “એક જ્ઞાયકભાવનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા અનંત, ભૂત-વર્તમાન-ભાવીવિચિત્ર પર્યાય સમૂહવાળાં, અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ-એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે...........”
૮. “ઘાતિકર્મનો નાશ થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com