________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] વ્યાખ્યાન છે તે “એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન:- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃ- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે; ત્યાં ઉત્તર આપ્યો છે કેजह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं। तह ववहारेण विणः परमत्थुवएसणमसक्कं ।। ८।।
અર્થ: – જેમ કોઈ અનાર્ય-પ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કે –
एवं म्लेच्छस्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयः, अथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्व्यवहारनयो नानुसतव्यः।
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહારવડ ઉપદેશ આપીએ છીએ, પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com