________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭] અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં (આત્મ સ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી?
- ભાવાર્થ- અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે, માટે નિશ્ચયને અંગીકાર કરી નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી શ્રી કુન્દકુન્દાચાર્યદવે શ્રી મોક્ષપ્રાભૃતમાં કહ્યું છે કે –
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणे कज्जे।। ३१।।
અર્થ- જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના (આત્મધર્મરૂપ) કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય, સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ -કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સત્કૃત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન- જો એમ છે તો જિનમાર્ગમાં બને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તર:- જિનમાર્ગમાં કોઇ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે.' એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com