________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯)
થયેલ સ્કંધરૂપ પર્યાયો અને તેમનો આકાર તે વિભાવ વ્યંજનપર્યાય છે.
(૩) પડછાયો અને પ્રતિબિંબ, પુદ્દગલ દ્રવ્યના વર્ણ ગુણનો વિભાવ અર્થપર્યાય છે.
( ૪ ) સૂર્યવિમાન, પુદ્ગલ દ્રવ્યના
અનેક સ્કંધોનો અનાદિઅનંત પિંડ છે. સૂર્યમાં જે તેજ (પ્રકાશ ) છે તે વર્ણગુણનો વિભાવઅર્થપર્યાય છે.
[સૂર્યલોકમાં વસનારા જ્યોતિષી દેવોનું નામ પણ સૂર્ય છે. દેવગતિનામકર્મના ધારાવાહી ઉદયને વશવર્તી સ્વભાવવડે તે દેવ છે-પ્રવચનસાર ગાથા ૬૮ની ટીકા ]
(૫) ઘડિયાળના લોલકનું ચાલવું તે પુદ્દગલદ્રવ્યની ક્રિયાવતીશક્તિના કારણે થતો ગમનરૂપ વિભાવઅર્થપર્યાય છે.
(૬) દુ:ખ તે જીવદ્રવ્યના સુખગુણનો આકુલતારૂપ વિભાવઅર્થપર્યાય છે.
(૭) મોક્ષ તે જીવદ્રવ્યના બધા ગુણના સ્વભાવઅર્થપર્યાય અને પ્રદેશત્વગુણનો સ્વભાવવ્યંજનપર્યાય છે.
(૮) કેવળજ્ઞાન તે જીવદ્રવ્યના જ્ઞાનગુણનો પરિપૂર્ણ સ્વભાવઅર્થપર્યાય છે.
પ્ર. ૨૮૪-અનાદિઅનંત,સાદિઅનંત, અનાદિસાંત અને
સાદિસાંત-એને દાખલા આપી સમજાવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com