________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૮) થતાં, (અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના કષાયોના અભાવપૂર્વક ) ઉત્પન્ન (ભાવલિંગી મુનિપદને યોગ્ય ) આત્માની શુદ્ધિવિશેષને સકલચારિત્ર કહે છે.
મુનિપદમાં ૨૮ મૂળગુણાદિનો જે શુભભાવ થાય છે તેને વ્યવહાર સકલચારિત્ર કહે છે.
[ નિશ્ચયચારિત્ર આત્માશ્રિત હોવાથી તે મોક્ષમાર્ગ છેધર્મ છે અને વ્યવહારચારિત્ર પરાશ્રિત હોવાથી ખરેખર બંધમાર્ગ છે ધર્મ નથી.] પ્ર. ૨૮ર યથાખ્યાતચારિત્ર કોને કહે છે? ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની પૂર્ણ શુદ્ધતા થતાં,
કષાયોના સર્વથા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની
શુદ્ધિવિશેષને યથાખ્યાતચારિત્ર કહે છે. પ્ર. ૨૮૩-નીચેના બોલ કયા ગુણના કયા પર્યાય છે?
અવાજ, પડઘો, પડછાયો, પ્રતિબિંબ, સૂર્યનું વિમાન, ઘડિયાળના લોલકનું હાલવું, દુ:ખ, મોક્ષ અને કેવળજ્ઞાન. ઉ. (૧) અવાજ તે પુદ્ગલ દ્રવ્યના ભાષાવર્ગણારૂપ સ્કંધમાંથી
ઉત્પન્ન થયેલ ધ્વનિરૂપ પર્યાય છે. એક પુગલપરમાણુ ધ્વનિરૂપે પરિણમતો નથી, તેથી તે કોઈ ખાસ ગુણનો પર્યાય નથી, પણ સ્પર્શગુણના કારણે થયેલ સ્કંધનો વિશેષ પ્રકારનો પર્યાય છે અને તે
સ્કંધનો આકાર તે વિભાવ વ્યંજનપર્યાય છે. (૨) પડઘો પણ ઉપર મુજબ ભાષાવર્ગણામાંથી ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com