________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૧) પ્ર. ૨૫૮-શરીર કેટલો છે? ઉ. શરીર પાંચ છે-૧. ઔદારિક, ૨. વૈક્રિયિક, ૩. આહારક,
તૈજસ અને કાર્માણ. પ્ર. ૨૫૯-ઔદારિક શરીર કોને કહે છે? ઉ. મનુષ્ય અને તિર્યંચના સ્થૂલ શરીરને ઔદારિક શરીર કહે
પ્ર. ર૬૦-વૈક્રિયિક શરીર કોને કહે છે? ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા-જુદા પ્રકારની ક્રિયાઓને કરે એવા દેવ અને નારકીઓનાં શરીરને
વૈક્રિયિક શરીર કહે છે. પ્ર. ર૬૧-આહારક શરીર કોને કહે છે? ઉ. આહારક દ્ધિધારી છઠ્ઠી ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં
કોઈ શંકા થવાથી અથવા જિનાલયાદિની વંદના કરવા માટે, મસ્તકમાંથી એક હાથપ્રમાણ સ્વચ્છ, સફેદ, સપ્તધાતુરહિત મનુષ્યાકાર જે પૂતળું નીકળે છે તેને આહારક
શરીર કહે છે. પ્ર. ર૬ર-તેજસ શરીર કોને કહે છે? ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક-એ ત્રણ શરીરોમાં કાન્તિ
ઉત્પન્ન થવામાં જે નિમિત્ત છે તે શરીરને તૈજસ શરીર કહે
છે.
પ્ર. ર૬૩-કાર્માણ શરીર કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com