________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પ્ર. ૨૫૧-બંધ કોને કહે છે?
ઉ. અનેક
(૮૦)
વસ્તુઓમાં એકપણાનું
સંબંધિવશેષને બંધ કહે છે.
જ્ઞાન કરાવવાવાળા
પ્ર. ૨૫૨-સ્કંધના કેટલા ભેદ છે?
ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા. ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્મણવર્ગણા વગેરે ૨૨ ભેદ છે.
પ્ર. ૨૫૩–આહા૨વર્ગણા કોને કહે છે?
ઉ. જે પુદ્દગલસ્કંધ ઔદારિક, વૈક્રિયિક, અને આહા૨ક-એ ત્રણે શરીરરૂપે પરિણમન કરે છે તેને આહા૨વર્ગણા કહે છે.
પ્ર. ૨૫૪-તૈજસવર્ગણા કોને કહે છે?
ઉ. જે વર્ગણાથી તૈજસ શરીર બને છે તેને તૈજસવર્ગણા કહે
છે.
પ્ર. ૨૫૫-ભાષાવર્ગણા કોને કહે છે?
ઉ. જે વર્ગણા ( પુદ્દગલ સ્કંધ ) શબ્દરૂપ પરિણમે છે તેને ભાષાવર્ગણા કહે છે.
પ્ર. ૨૫૬-મનોવર્ગણા કોને કહે છે?
ઉ. જે પુદ્ગલસ્કંધથી આઠ પાંખડીવાળા કમલના આકારે દ્રવ્યમનની રચના થાય છે તેને મનોવર્ગણા કહે છે.
પ્ર. ૨૫૭-કાર્માણવર્ગણા કોને કહે છે ?
ઉ. જે પુદ્દગલસ્કંધથી કાર્માણ શરીર બને છે તેને કાર્માણવર્ગણા
કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com