________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૯) પ્ર. ૨૪૭-દ્રવ્ય-ગુણ-પર્યાય-એ ત્રણમાંથી જણાવા યોગ્ય
(પ્રમેય) કોણ કોણ છે? ઉ. તે ત્રણેય જણાવા યોગ્ય છે. પ્ર. ૨૪૮-દ્રવ્યના ગયા કાળના પર્યાયોની સંખ્યા વધારે કે
આગામી (ભવિષ્ય) કાળના પર્યાયોની સંખ્યા વધારે ? ઉ. “દ્રવ્યના પર્યાયોમાં અતીત (થઈ ગયેલા) પર્યાય અનંત
છે, અનાગત (ભવિષ્ય) પર્યાયો તેનાથી અનંતગુણા છે, તથા વર્તમાન પર્યાય એક જ છે. સર્વ દ્રવ્યોના અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગુણા સમયરૂપ ભવિષ્યકાળ છે.” (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ર૨૧ મૂળ તથા
ગા. ૩૦૨ નો ભાવાર્થ). ભૂતકાળથી ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્યકાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે-એવી માન્યતા ખરી નથી. પ્ર. ૨૪૯-છએ દ્રવ્યોમાં દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવાનું ફળ શું? ઉ. સ્વ-પરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કતૃત્વબુદ્ધિનો અભાવ
થાય-તે જાણવાનું ફલ છે. પ્ર. ૨૫૦-સ્કંધ કોને કહે છે? તે કોનો કયો પર્યાય છે? ઉ. બે અથવા બેથી અધિક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે.
તે પુગલદ્રવ્યનો વિભાવ અર્થપર્યાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com