________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૭૫ )
પ્ર. ૨૨૯–સાદિઅનંત સ્વભાવવ્યંજનપર્યાય અને સાદિ અનંત સ્વભાવઅર્થપર્યાય કોને હોય છે?
ઉ. સિદ્ધ ભગવાનને; કારણ કે તેમને વિકાર અને પરિમિત્તનો સંબંધ સર્વથા છૂટી ગયો છે.
પ્ર. ૨૩૦-આકારમાં ( (વ્યંજનપર્યાયમાં ) તફાવત હોય પણ અર્થપર્યાયમાં સમાનતા હોય એવાં દ્રવ્યો કયા અને કેટલાં
છે?
ઉ. એવા સિદ્ધ ભગવાનો છે અને તે અનંત છે.
પ્ર. ૨૩૧-ત્રિકાલ સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાય કયા દ્રવ્યોને હોય છે?
ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ-એ ચાર દ્રવ્યોને હોય છે.
પ્ર. ૨૩૨-પ્રથમ અર્થપર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજનપર્યાય શુદ્ધ થાય-એમ કયા દ્રવ્યમાં બને છે?
ઉ. તેમ જીવ દ્રવ્યમાં બને છે, જેમકે ચોથા ગુણસ્થાને શ્રદ્ધા ગુણનો પર્યાય પ્રથમ શુદ્ધ થાય છે; બારમે ગુણસ્થાને, ચારિત્રગુણનો અર્થપર્યાય શુદ્ધ થાય છે; તેરમા ગુણસ્થાને જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણના પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થાય છે; ચૌદમા ગુણસ્થાને યોગ ગુણનો પર્યાય શુદ્ધ થાય છે, અને સિદ્ધદશા થતાં વૈભાવિક ગુણ, ક્રિયાવતીશક્તિ તથા ચાર પ્રતિજીવી ગુણો અવ્યાબાધ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com