________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭ર) પ્ર. ૨૧૭-અર્થપર્યાય કોને કહે છે? ઉ. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના સંપૂર્ણ ગુણોના વિશેષ
કાર્યને અર્થપર્યાય કહે છે. પ્ર. ૨૧૮-અર્થપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ; સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. પ્ર. ૨૧૯-સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધરહિત જે અર્થપર્યાય થાય છે તેને
સ્વભાવઅર્થપર્યાય કહે છે, જેમકે જીવનો કેવલ જ્ઞાનપર્યાય. પ્ર. ર૨૦-વિભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધવાળો જે અર્થપર્યાય થાય તેને
વિભાવઅર્થપર્યાય કહે છે; જેમકે જીવને રાગ-દ્વેષ વગેરે. પ્ર. ર૨૧-કયા કયા દ્રવ્યમાં કયા કયા પર્યાયો હોય છે? ઉ. (૩) જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં ચાર પર્યાયો હોય છે:
(૧) સ્વભાવઅર્થપર્યાય, (૨) વિભાવઅર્થપર્યાય, (૩) સ્વભાવવ્યંજનપર્યાય, (૪) વિભાવવ્યંજનપર્યાય. (૧) ધર્મ, અધર્મ, આકાશ અને કાલ દ્રવ્યોનાં ફક્ત બે
- પર્યાયો છે. (૧) સ્વભાવઅર્થપર્યાય, (૨) સ્વભાવવ્યંજનપર્યાય. પ્ર. ૨૨૨- “આકાર એટલે શું? ઉ. આકાર-એ પ્રદેશત્વ ગુણનો વ્યંજનપર્યાય છે, તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com