________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ ત્રીજાં
પર્યાય અધિકાર
પ્ર. ૨૧૧-પર્યાય કોને કહે છે? ઉ. ગુણના વિશેષ કાર્યને ( પરિણમનને) પર્યાય કહે છે. પ્ર. ૨૧ર-પર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ-વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. પ્ર. ૨૧૩-વ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજનપર્યાય કહે છે. પ્ર. ર૧૪-વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ; સ્વભાવભંજનપર્યાય અને વિભાવવ્યંજનપર્યાય. પ્ર. ર૧૫-સ્વભાવભંજનપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધરહિત દ્રવ્યને જે આકાર હોય તેને
સ્વભાવભંજનપર્યાય કહે છે; જેમ કે સિદ્ધ ભગવાનનો
આકાર. પ્ર. ૨૧૬-વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. પર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવભંજનપર્યાય કહે છે, જેમ કે જીવના નર, નારકાદિ પર્યાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com