________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૯) પ્ર. ૨૦૦-પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે; જેમ
કે-નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે. પ્ર. ૨૦૧-જીવના અનુજીવી ગુણો કયા-કયા છે? ઉ. ચેતના (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા (સમ્યકત્વ), ચારિત્ર, સુખ,
વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિકત્વ. કર્તુત્વ,
ભોસ્તૃત્વ, ક્રિયાવતીશક્તિ વગેરે અનંત ગુણો. પ્ર. ૨૦૨-જીવના પ્રતિજીવી ગુણો કયા-કયા છે? ઉ. અવ્યાબાધવ, અવગાહનત, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ,
નાસ્તિત્વ, ઇત્યાદિ. પ્ર. ૨૦૩-અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. વેદનીય કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ
થાય છે તેને (તે ગુણને) અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે
પ્ર. ૨૦૪-અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. આયુ કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય
છે તેને (તે ગુણને) અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કહે છે. પ્ર. ૨૦૫-અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. ગોત્રકર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com