________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૮) પરિણામના કારણે મોટર અટકી. તેમાં પેટ્રોલનું ખૂટવું તે
તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૯૬–રેલગાડી વરાળથી ચાલે છે તે બરાબર છે? ઉ. ના; તેના ચાલવામાં તેની ક્રિયાવતી શક્તિનું ક્ષેત્રાન્તરરૂપ
પરિણમન છે તે ખરું કારણ છે. વરાળ વગેરે તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૯૭-ઝાડનું ફળ નીચે પડયું, તેમાં પૃથ્વીનું આકર્ષણ કારણ
છે–એ સિદ્ધાંત બરોબર છે? ઉ. ના, તેના પરમાણુઓની ક્રિયાવતી શક્તિના ગમનરૂપ
પરિણમનના કારણે તે પડે છે. ફળના ડીંટાનું સડી જવું,
પવનનું વાવું વગેરે તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૯૮-ફૂવારામાંથી ઊંચે પાણી ઉછળે છે અને ધોધમાંથી
પાણી નીચે પડે છે, તેનું શું કારણ? ઉ. બન્નેમાં તે-તે પરમાણુઓની ક્રિયાવતી શક્તિનું ગમનરૂપ પરિણમન કારણ છે.
અનુજીવી અને પ્રતિજીવી ગુણો પ્ર. ૧૯૯-અનુજીવી ગુણ કોને કહે છે? ઉ. ભાવસ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહે છે, જેમકે-જીવના
અનુજીવી ગુણો-ચેતના (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા, ચારિત્ર, સુખ વગેરે; અને પુદ્ગલના અનુજીવી ગુણો-સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com