________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૭) પ્ર. ૧૯૧-ગતિ હેતુત્વ ગુણ પોતે તેની સાથે રહેલા બીજા ગુણોને
ગતિમાં નિમિત્ત છે? ઉ. ના; કારણ કે ધર્માસ્તિકાય પોતે સદાય સ્થિર છે; તેથી તેના
ગુણો પણ ગતિ કરે જ નહિ; તે તો સ્વયં ગમનરૂપ
પરિણમતા જીવ પુદ્ગલને જ ગતિમાં નિમિત્ત છે. પ્ર. ૧૯૨-આકાશ, ધર્મદ્રવ્ય અને કાળદ્રવ્ય તો સ્થિર છે; તેને
અધર્મદ્રવ્યનું નિમિત્ત છે? ઉ. ના; કારણ કે તેઓ કદી પણ ગતિ પૂર્વક સ્થિર રહેવાવાળા
દ્રવ્યો નથી, પણ તેઓ ત્રિકાળ સ્થિર છે. પ્ર. ૧૯૩-પોતે પોતાને તથા પરને નિમિત્ત થાય એવાં દ્રવ્યો
કોણ છે? ઉ. આકાશ અને કાળદ્રવ્ય. પ્ર. ૧૯૪-ધરતીકંપ, સમુદ્રમાં થતાં ભરતી-ઓટ, જવાલામુખી
પર્વતનું ફાટવું, લાવા રસનું વહેવું-તેનું ખરું કારણ શું? ઉ. તે બધા પુદ્ગલ દ્રવ્યના સ્કંધરૂપ પર્યાયો છે, અને તે તે દ્રવ્યોના દ્રવ્યત્વ ગુણ અને ક્રિયાવતી શક્તિના કારણે તે
અવસ્થાઓ થાય છે. પ્ર. ૧૯૫-પેટ્રોલ ખૂટયું અને મોટર અટકી તેમાં મોટર
અટકવાનું કારણ શું ઉ. મોટરની તે કાળની ક્રિયાવતી શક્તિની સ્થિરતારૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com