________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૬) જ્યારે મડદાને ઘર બહાર જતું જોવામાં આવે ત્યારે છે ત્યારે તેનું જવું તેની ક્રિયાવતી શક્તિના કારણે છે; માણસો
તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૮૭–ચૈતન્ય ગુણ ગતિ કરી શકે ? ઉ. હા; જ્યારે જીવ ક્ષેત્રાન્તરરૂપ ગમન કરે છે ત્યારે
ચૈતન્યગુણ (દર્શન અને જ્ઞાનગુણ) જીવ સાથે અભેદ હોવાથી, તેનું પણ ગમન થાય છે. તેમાં જીવની ક્રિયાવતી
શક્તિ નિમિત્ત છે. પ્ર. ૧૮૮-વર્ણ ગુણ ગમન કરી શકે ? ઉ. હા; પુદ્ગલ દ્રવ્ય પોતાની ક્રિયાવતી શક્તિથી ગમન કરે છે.
વર્ણગુણ તેની સાથે અભેદ હોવાથી તે પણ ગમન કરે છે. પ્ર. ૧૮૯-ગતિ હેતુત્વ ગુણ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે ? ઉ. ના; કારણ કે ગતિહેતુત્વ ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યોનો છે.
અને તે દ્રવ્ય તો ત્રિકાલ સ્થિર રહેનાર છે. તેમાં ક્રિયાવતી
શક્તિ નથી. પ્ર. ૧૯O-ત્યારે ગતિ હેતુત્વનો અર્થ શું? ઉ. જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં પોતાની ક્રિયાવતી શક્તિના
કારણે ગતિરૂપ પરિણમે ત્યારે તેમને લોકમાં સ્થિર અને લોકમાં સર્વ વ્યાપક રહેલા ધર્મ દ્રવ્યનો તે ગુણ નિમિત્ત થાય છે. એટલો જ ગતિહેતુત્વનો અર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com