________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૫) પ્ર. ૧૮૪-ક્રિયાવતી શક્તિનું કાર્ય શું! ઉ. એક ક્ષેત્રથી ક્ષેત્રાન્તર થવું અથવા ગતિપૂર્વક સ્થિરપણે
રહેવું. પ્ર. ૧૮૫-કિયાવતી શક્તિ જાણવામાં ધર્મ સંબંધી શો લાભ
થાય? ઉ. હું શરીરને ચલાવી શકું, સ્થિર રાખી શકું, શરીર અને અન્ય ક્ષેત્રે લઈ જાય, હું આ બોજો ઉપાડી લાવું વગેરે પરવસ્તુની ગતિ-સ્થિતિની (પરનું ક્ષેત્રાન્તર થવું અને સ્થિર રહેવું તેની) સ્વતંત્રતા નહિ માનવારૂપ ઘોર અજ્ઞાન ટળી જાય અને પોતાના જ્ઞાતાસ્વભાવથી હું સદાય જ્ઞાયકસ્વરૂપ જ
છું-એવો સાચો નિર્ણય થાય તે જ ધર્મનું મૂળ છે. પ્ર. ૧૮૬-જો જીવ શરીરને ચલાવી દેતો નથી તો પછી મડદું
કેમ ચાલતું નથી ? ઉ. મડદું એ પુદ્ગલ દ્રવ્યના અનેક સ્કંધોનો પિંડ છે. તેના દરેક
પરમાણુમાં કિયાવતી શક્તિ છે, તેથી તેની યોગ્યતાનુસાર કોઈ વખતે તે પરમાણુની ગતિ અર્થાત્ ક્ષેત્રાન્તર પર્યાય થાય છે, અને કોઈ વખતે તેની યોગ્યતાનુસાર સ્થિર રહેવારૂપ પર્યાય થાય છે, માટે મડદાના પરમાણુઓની તે વખતની પોતાની યોગ્યતાના કારણે સ્થિરતારૂપ પર્યાય થાય છે, તેથી મડદું ચાલતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com