________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૪)
દૃષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે માટે શુદ્ધ નિશ્ચયનયથી તે ૫૨કૃત છે.
આ વિકારોને શુદ્ધ નિશ્ચયનયથી નીચેનાં નામોથી ઓળખાય છે:
પરકૃત, પરભાવ, પરાકાર, પુદ્દગલભાવ, કર્મજન્મભાવ, પ્રકૃતિશીલ સ્વભાવ, પરદ્રવ્ય, કર્મકૃત, તદ્દગુણાકાર સંક્રાન્તિ, પરગુણાકાર, કર્મપદસ્થિત, જીવમાં થતા અજીવભાવ, તદ્દગુણાકૃતિ, પરયોગકૃત, નિમિત્તકૃત વગેરે. પણ તેથી તેઓ ૫૨કૃતાદિ થઈ જતા નથી. માત્ર પોતાનામાંથી જ તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે.
(જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૭૨નો ભાવાર્થ )
તે પર્યાયમાં પોતાનો જ દોષ છે, બીજા કોઈનો તેમાં જરાપણ હાથ કે દોષ નથી. પંચાધ્યાયી ભા. ૨ ની ગાથા ૬૦ અને ૭૬ માં ‘જીવ પોતે જ અપરાધવાન છે' એમ કહ્યું છે. માટે પરદ્રવ્ય કે કર્મનો ઉદય જીવમાં વિકાર કરે-કરાવે કે કર્મના ઉદયના કારણે જીવને વિકાર કરવો પડે એમ માનવું તે મિથ્યા છે. નિમિત્તકારણ છે તે ઉપચરિત કારણ છે પણ વાસ્તવિક કારણ નથી. તેથી તેને પંચાધ્યાયી ભા. ૨ ગા. ૩૫૧ માં અહેતુવ—અકા૨ણવત્ કહ્યું છે.
પ્ર. ૧૮૩-એવા કયા વિશેષ ગુણો છે કે જે બે દ્રવ્યોમાં જ રહે?
ઉ. ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ-એ બે ગુણો જીવ અને પુદ્દગલ દ્રવ્યોમાં જ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com