________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૩) મુક્ત-છૂટા પુદ્ગલપરમાણુઓ જ્યાં સુધી છૂટા (અબંધ પર્યાયરૂપ) રહે ત્યાં સુધી તેમને આ ગુણનો શુદ્ધ પર્યાય થાય
પ્ર. ૧૮૨-આ વૈભાવિક શક્તિ ઉપરથી વિશેષ શું સમજવું? ઉ. જીવની વૈભાવિક શક્તિ તે ગુણ હોવાથી બંધનું કારણ નથી.
તેનું પરિણમન પણ બંધનું કારણ નથી, કારણ કે તેનું પરિણમન તો સિદ્ધ ભગવાનોને પણ હોય છે.
જો જીવ પર પદાર્થને વશ થાય તો તેના પર્યાયમાં વિકાર (અશુદ્ધતા) થાય. તે જીવનો પોતાનો અપરાધ છે. જીવ જે પરપદાર્થને વશ થાય છે તે પરપદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. જીવે વિકાર કર્યો (અશુદ્ધ ભાવે પોતે, પરિણમ્યો ) ત્યારે કયા પર પદાર્થને વશ થયો તે બતાવવા માટે તે પરપદાર્થને નિમિત્તકારણ અને વિકારને નૈમિત્તિક (કાર્ય) કહેવામાં આવે છે. આ કથન ભેદજ્ઞાન કરાવવા માટે છે, પણ નિમિત્તેનૈમિત્તિકને કાંઈ અસર કરી અથવા તેના ઉપર પ્રભાવ પાયો-એવું બતાવવા માટે તે કથન નથી, કારણ કે તેમ માનવામાં આવે તો બે દ્રવ્યોની એકતા માનવારૂપ મિથ્યાત્વ થાય; માટે એમ સમજવું કે જીવના પોતાના દોષથી જ અશુદ્ધતા થાય છે અને તે જીવ પોતે કરતો હોવાથી તે ટાળી શકાય છે.
જીવ વિકારો (અશુદ્ધ અવસ્થા) પોતાના દોષથી કરે છે, તેથી અશુદ્ધ નિશ્ચયનયથી તે સ્વકૃત છે; પણ તે સ્વભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com