________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦)
ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअथैवमात्मभक्तेः स्वर्गगतिसाधनत्वेऽपि समर्थिते प्रतिपाद्यस्तत्फलजिज्ञासया गुरुं पृच्छति स्वर्गे गतानां किं फलमिति स्पष्टं गुरुरुत्तरयति
हृषीकजमनातंक | તીર્ઘવાનોપાનિતમ્ नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।।५।।
બે કોશ સુધી. કેવી રીતે? શીઘ્ર-જલદી; તે શું પોતાના ભારને અર્ધો કોશ લઈ જતાં ખેદ પામશે? નહિ ખેદ પામે- એવો અર્થ છે, કારણકે મહા શક્તિમાં અલ્પ શક્તિનો (સમાવેશ) સારી રીતે ઘટે છે- (અર્થાત્ મહાશક્તિવાળાને અલ્પશક્તિ સહજ હોય છે ).
ભાવાર્થ:- જે શુદ્ધોપયોગરૂપ આત્મપરિણામમાં મોક્ષસુખ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે તે ભૂમિકામાં રહેલા શુભરાગથી સ્વર્ગાદિની પ્રાપ્તિ સહજ હોય છે. જે માણસ એક મણનો બોજો બે કોશ લઈ જઈ શકે તેટલી તાકાતવાળો છે તે શું તે બોજો અર્થો કોશ લઈ જતાં થાકી જશે? નહિ જ થાકે; તેવી રીતે જે જીવે પૂર્ણતાના લક્ષ-મોક્ષસુખ માટે પુરુષાર્થ આદર્યો છે, તેને શું સ્વર્ગાદિની પ્રાતિ મુશ્કેલ છે? ના, તે સુલભ જ છે.
જે જીવ ચરમશરીરી છે એટલે કે તે ભવે જ મોક્ષ પ્રાપ્ત કરવાની લાયકાતવાળો છે, તે તો આત્મધ્યાનાદિના ઉગ્ર પુરુષાર્થ દ્વારા મોક્ષ-સુખ પામે છે, પરંતુ જે જીવો અચરમશરીરી છે એટલે કે તે ભવે મોક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી તેઓ અરહંત-સિદ્ધરૂપે પોતાના આત્માનું ધ્યાન કરી તે ભૂમિકામાં જે પુણ્ય ઉપાર્જન કરે છે તેના ફળસ્વરૂપ તેમને સ્વર્ગ-ચક્રવર્યાદિની વિભૂતિ પ્રાપ્ત થાય છે. એ રીતે આત્મધ્યાનાદિથી ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. ૪
એ રીતે આત્મભક્તિમાં સ્વર્ગગતિનું પણ સાધનપણું છે એવું સમર્થન કરવામાં આવતાં શિષ્ય તેના ફળની જિજ્ઞાસાથી ગુરુને પૂછે છે- “સ્વર્ગે જનારાઓને શું ફળ મળે છે? આચાર્ય તેનો સ્પષ્ટ રીતે ઉત્તર આપતાં કહે છે:
શ્લોક - ૫ અન્વયાર્થઃ- [ ના નામ] સ્વર્ગમાં વસનાર દેવોને જે [ સૌરઘં] સુખ હોય છે તે [નાવે નાવણૌસામ રૂ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [ i] ઇન્દ્રિયોજનિત, [ સનાતં$] આતંક (શત્રુઆદિ દ્વારા ઉત્પન્ન થનાર દુ:ખ ) રહિત, [વીર્ધાતોપલાનિત] દીર્ઘ કાલ સુધી (તેત્રીસ સાગર પર્યત) ભોગવવામાં આવે તેવું હોય છે.
ઇન્દ્રિય જન્ય નિરામયી, દીર્ઘકાલ તક ભોગ્ય,
ભોગે સુરગણ સ્વર્ગમાં, સૌખ્ય સુરોને યોગ્ય. ૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com