________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૧૦૫ ટીવI-પ્રશસ્તિ; विनेयेन्दुमुनेर्वाक्याद्भव्यानुग्रहहेतुना ।
इष्टोपदेशटीकेयं कृताशाधरधीमता।।१।। उपशम इव मूर्तः सागरेन्दोमुनीन्द्रादजनि विनयचन्द्रः सच्चकोरैकचन्द्रः। जगदमृतसगर्भाःशास्त्रसंदर्भगर्भाः शुचिचरितवरिष्णोर्यस्य धिन्वन्ति वाचः।।२।।
जयंति जगद्वन्द्या श्रीमन्नेमिजिनांध्रयः रेणवोऽपि शिरोराज्ञामारोहंति यदाश्रिताः।।३।। इति श्रीपूज्यपादस्वामिविरचितः इष्टोपदेशः समाप्तः।।
- ભાવાર્થ- આ “ઇબ્દોપદેશ' માં-ઇષ્ટ એટલે મોક્ષ અને ઉપદેશ એટલે તેના ઉપાયરૂપ આત્મધ્યાન-તેનું નિરૂપણ (પ્રતિપાદન) કરવામાં આવ્યું છે.
ગ્રામ કે વનમાં વસતો થકો જે ભવ્ય જીવ, આ ઇષ્ટોપદેશ વ્યવહાર નિશ્ચયધારા સમ્યક પ્રકારે અધ્યયન- ચિંતવન કરી હિતાહિતનો વિવેક કરે છે તથા બાહ્ય પદાર્થોમાં મમત્વનો ત્યાગ કરી માન અપમાન-પ્રસંગે સમતાભાવ રાખે છે, તે “ઇસ્ટોપદેશ” ના અધ્યયનચિંતવનથી પ્રાપ્ત કરેલા આત્મજ્ઞાન દ્વારા અનુપમ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. પ૧.
ટીકા-પ્રશસ્તિ “વિનયચન્દ્ર નામના મુનિનાં વાક્યોનો સહારો લઈ, ભવ્ય પ્રાણીઓના ઉપકારના હેતુએ ધીમા (પંડિત) આશાધરે ઇષ્ટોપદેશની આ ટીકા કરી છે.'... ૧.
સાગરચન્દ્ર નામના મુનીન્દ્રથી વિનયચન્દ્ર થયા. તેઓ જાણે કે ઉપશમ (શાન્તિ) ની મૂર્તિ હતા; સજ્જન પુરુષારૂપી ચકોર પક્ષીઓને માટે એક ચન્દ્રમા સમાન હતા; તે પવિત્ર ચારિત્રવાન જિન મુનિનાં અમૃતમયી (અનેક) શાસ્ત્રોનાં સારગર્ભિત વચનો જગતને તૃપ્ત ( પ્રસન્ન) કરે છે........ ૨.
જગદ્રવ શ્રીમાન્ નેમિનાથ જિન ભગવાનનાં ચરણકમલ જયવંત વર્તે છે, જેમના (ચરણકમલના) આશ્રિત ધૂળ પણ રાજાઓના મસ્તક પર જઈ બેસે છે (-અર્થાત્ રાજાઓ પણ જેમનાં ચરણકમલોમાં મસ્તક ઝુકાવે છે).'.... ૩.
ઇતિ શ્રી પૂજ્યપાદસ્વામિવિરચિત ઇબ્દોપદેશ સમાસ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com