SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીર્યશક્તિ : ૭૭ : પુંજવર્તના દ્રવ્યની (છે), તેને એક ગુણવર્તના ન કહીએ, કેમ કે એક ગુણરૂપ દ્રવ્ય નથી; પુંજ ગુણોવડે ગુણપુંજમાં વર્તે છે. તેમાં દ્રવ્યવિવક્ષામાં દ્રવ્યવર્તના, ગુણવિપક્ષામાં ગુણવર્તના, પર્યાયવિવક્ષામાં પર્યાયવર્તના, (એ રીતે) અનેકાંત સિદ્ધિ વિવેક્ષાથી છે. તેથી ગુણપર્યાય-દ્રવ્યની વર્તના-મર્યાદા અથવા સ્થિતિ, તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય તેનું નામ કાળવીર્ય શક્તિ છે. તપવીર્ય હવે તપવીર્યનું વર્ણન કરીએ છીએ- તપ નિશ્ચય અને વ્યવહાર (એવા) બે ભેદને ધારણ કરે છે. બાર પ્રકારના તપ, પરીષહસહનરૂપ તપ તે વ્યવહાર (તપ છે ); તેનાથી કર્મની નિર્જરા ત્યારે જ થાય કે જ્યારે ઈચ્છાનો નિરોધ કરીને વર્તે, પર ઈચ્છા મટાડે (અને) સ્વરસને ભેટે. સાધનવડે સિદ્ધિ સાચા વ્યવહાર દ્વારા થાય છે. તેને નિષ્પન્ન રાખવાનું (જે ) સામર્થ્ય, તેનું નામ વ્યવહારતપવીર્યશક્તિ છે, તેના પ્રભાવથી અનેક ઋદ્ધિઓ ઊપજે છે. હવે નિશ્ચય તપવીર્યશક્તિનું સ્વરૂપ કહીએ છીએ: તપ એટલે તેજ; તેજ એટલે પોતાની તેજસ્વી અનંતગુણ ચેતનાની પ્રજાનો પ્રકાશ તેને નિષ્પન્ન રાખવાના સામર્થ્યનું નામ નિશ્ચયતપવીર્યશક્તિ કહીએ જ્ઞાનચેતનાનો પ્રકાશ સ્વસવેદન [૩૫] તથા સ્વપરપ્રકાશ રૂપ ], "નિજપ્રભાભારના વિકાસથી શોભિત તેજ [૭] એ જ પ્રકારે દર્શન નિરાકાર-ઉપયોગ [ રૂપ ] સર્વદર્શિત્વ [ રૂપ] સામાન્ય ચેતનાના પ્રભાભારના પ્રકાશ [ રૂપ ] તેજ [O] એજ પ્રમાણે અનંત ગુણના તેજપુંજના પ્રભાભારનો પ્રકાશ [2] દ્રવ્યનું તેજ [], પર્યાય સ્વરૂપના પ્રભાભારનો પ્રકાશ [તે પર્યાયનું તેજ છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ ૧ નિજપ્રભાભાર-નિરપ્રભાનો સમૂહ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy