________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૮ :
ચિદ્ર વિલાસ પર્યાયના પ્રભાભારનો પ્રકાશ તે (નિશ્ચય) તપ કહીએ, તેને નિષ્પન્ન રાખવાનું [ જે] સામર્થ્ય, તેનું નામ નિશ્ચય તપવીર્યશક્તિ કહીએ.
ભાવવીર્ય હવે ભાવવીર્યશક્તિ કહીએ છીએ – જેના પ્રભાવથી વસ્તુ પ્રગટે તેને ભાવ કહીએ. વસ્તુનો સર્વ સ્વરસ ભાવ છે. ભાવ તે વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુપણું ભાવદ્વારા જાણીએ છીએ. જેમ અક્ષરાર્થ ભાવાર્થ વડે સફળ છે તેમ ભાવવડે વસ્તુ છે. વસ્તુનું ઉપાદાન અક્રમ-ક્રમ સ્વભાવભાવ છે; તેના ત્રણ ભેદ છે-દ્રવ્યભાવ, ગુણભાવ (અને) પર્યાયભાવ. (હવે) દ્રવ્યભાવ કહીએ છીએ-ગુણપર્યાયના ભાવના સમુદાયરૂપ દ્રવ્યભાવ કહીએ. ગુણના ભાવના અનંત ભેદ છે. જ્ઞાન દ્રવ્ય છે, જ્ઞાન-જાણવારૂપ શક્તિનો ભાવ-ગુણ છે [અને] જ્ઞયાકાર પર્યાય દ્વારા જ્ઞાન થાય છે તે પર્યાય છે. [એ રીતે ] ત્રણે [ દ્રવ્ય-ગુણ-પર્યાય] જ્ઞાનના ભાવવડે સધાય છે. ભાવગુણવડ ગુણી સધાય છે; તે [ આ રીતે કે-] દ્રવ્યથી ભાવ છે, પણ ગુણથી ગુણી એમ કહેતાં ભાવથી જ દ્રવ્યની સિદ્ધિ શું થાય છે ; પર્યાયની સિદ્ધિ પણ ભાવથી જ છે. ગુણનો શક્તિરૂપ ભાવ, ગુણપર્યાયરૂપ ભાવ, તેને ગુણભાવ કહીએ. પર્યાયમાં જે પરિણમનશક્તિનું જે લક્ષણ છે તે પર્યાયનો ભાવ છે. ગુણે ગુણનો ભાવ જુદો જુદો છે; પર્યાયનો વર્તમાનભાવ અતીતભાવ સાથે મળતો નથી, અતીત અનાગત સાથે, વર્તમાન અનાગત સાથે મળતો નથી [અને] અનામત વર્તમાન [ક] અતીત સાથે મળતો નથી. જે પરિણામ વર્તમાન છે તેનો ભાવ તેમાં જ છે. ( આ પ્રમાણે પોતાના ) ભાવને નિષ્પન્ન રાખવાનું જે સામર્થ્ય તેનું નામ ભાવવીર્ય કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com