________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
': ૭૫ : રૂપમાં સર્વે ગુણોનું રૂપ સધાય છે સત્તાગુણના રૂપમાં સર્વે ગુણોનું રૂપ સધાય છે. સત્તાથી સર્વે ગુણો “છે” લક્ષણવાળા છે, સત્તા સર્વેમાં વ્યાપક છે. જ્ઞાન “છે,” દર્શન “છે,” દ્રવ્ય “છે,'-એ પ્રમાણે દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ વગેરે બધા ગુણોમાં ( સત્તાનું વ્યાપકપણું ) જાણવું. ક્ષેત્રમાં ગુણનો વિલાસ, પર્યાયનો વિલાસ છે. દ્રવ્ય-મંદિરની મૂળ ભૂમિકા પ્રદેશનું ક્ષેત્ર છે. ક્ષેત્ર-પ્રદેશમાં અનંત ગુણો છે, ક્ષેત્રવડે દ્રવ્યની મર્યાદા જાણવામાં આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ, નિવાસ અથવા પ્રકાશ ક્ષેત્રના આધારે છે. આ ક્ષેત્ર બધાનું
અધિકરણ છે. જેમ, નરકનું ક્ષેત્ર દુઃખ ઉત્પન્ન કરવાનું કારણ છે, કોઈ દેવાદિક નારકીનાં દુઃખને મટાડી શકે નહિ, એવો તે ક્ષેત્રનો પ્રભાવ છે. અને સ્વર્ગભૂમિમાં સહજપણે શીતાદિ વેદના નથી (એવો તે) ક્ષેત્રનો પ્રભાવ છે. તે પ્રમાણે આત્મપ્રદેશના ક્ષેત્રનો એવો પ્રભાવ છે કે અનંત ચેતના દ્રવ્ય-ગુણ-પર્યાયના વિલાસને પ્રગટ કરે છે. [ અહીં] એટલું વિશેષ છે કે નરકાદિ ક્ષેત્ર તો ભિન્ન વસ્તુનું કારણ છે [અને] આત્મપ્રદેશ ક્ષેત્ર ગુણ પર્યાયથી અભિન્ન છે. આ પ્રદેશ ક્ષેત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ સિદ્ધ થાય છે. [ તે આ પ્રમાણે-] *ઉપચારથી એક પ્રદેશને મુખ્ય કરીએ તેનો ઉત્પાદ, બીજા પ્રદેશની ગૌણતા તે વ્યય ગણવો [અને] ધ્રુવ મુખ્ય-ગૌણપણા રહિત અનુસ્યુત શક્તિ-વસ્તુરૂપ શક્તિ છે-એ પ્રકારે ધારવું. એ પ્રમાણે પ્રદેશ ક્ષેત્રનો અનંત મહિમા છે. આ પ્રદેશ ક્ષેત્ર, લોકાલોકને જાણવા માટે અરીસો છે. જે જીવોએ આ પ્રદેશ-આ પ્રદેશક્ષેત્ર-માં નિવાસ કર્યો છે તેઓ જ અનંત સુખના ભોક્તા થયા છે. આવા પ્રદેશક્ષેત્રને [ ટકાવી] રાખવાના સામર્થ્યનું નામ ક્ષેત્રવીર્યશક્તિ છે.
* જાઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com