________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
: ૬૯ :
વિશેષ ( વર્ણન ) પૂર્વે કહ્યું તેને ટકાવી રાખવાની સામર્થ્યતા ( તે ) દ્રવ્યવીર્યશક્તિ છે.
(અહીં ) કોઈ પ્રશ્ન કરે છે કેઃ
(૧) આ દ્રવ્યવીર્ય ભેદ છે કે અભેદ છે?
(૨) અસ્તિ છે કે નાસ્તિ છે? (૩) નિત્ય છે કે અનિત્ય છે? (૪) એક છે કે અનેક છે? (૫) કારણ છે કે કાર્ય છે? (૬) સામાન્ય છે કે વિશેષ છે? તેનું સમાધાન કરીએ છીએ:
(૧) સામાન્યપણે કહીએ ત્યારે તો દ્રવ્યવીર્ય અભેદ છે અને ગુણોના સમુદાયની વિવક્ષાથી કહીએ ત્યારે ભેદ છે; ગુણોના ભેદ જાદા છે તેથી આ વિવક્ષામાં ભેદ આવ્યો, પરંતુ અભેદને સાધવાનું નિમિત્ત આ ભેદ છે. ભેદ વિના અભેદ હોય નહિ; તેથી (દ્રવ્યવીર્યને ) ભેદ-અભેદ કહીએ.
(૨) (દ્રવ્યવીર્ય ) પોતાના ચતુષ્ટયથી અસ્તિ છે (અને) પરચતુષ્ટયથી નાસ્તિ છે.
(૩) દ્રવ્યવીર્યથી નિત્ય છે, ( અને ) આ દ્રવ્યવીર્યમાં પર્યાયવીર્ય પણ આવે છે તે (પર્યાયવીર્ય) વડે અનિત્ય છે. પરંતુ દ્રવ્યવીર્ય નિત્ય છે તેને પર્યાયવીર્ય સાધે છે, તેથી અનિત્ય તે નિત્યનું સાધન છે. તે (દ્રવ્યવીર્ય ) નો નિત્યાનિત્યાત્મક સ્વભાવ છે. ( એ રીતે તે ) અનેક ધર્માત્મક છે. નયચક્ર ગ્રંથમાં કહ્યું છે કે‘નાનાસ્વભાવસંયુń દ્રવ્ય જ્ઞાત્વા પ્રમાળતા:। × (‘અર્થાત્
× જીઓ, નયચક્ર ગા. ૧૭૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com