________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬O :
ચિદ્ર વિલાસ વધારે છે અને એવભૂત નયનો વિષય સૌથી અલ્પ છે. આ અપેક્ષાએ કહ્યું કે પહેલા પહેલા નયનો વિષય મહાન છે અને પછી પછીના નયનો વિષય સૂક્ષ્મ-અલ્પ છે. વળી, પહેલા નયે જેટલા પદાર્થોનો વિષય કર્યો છે તેટલા પદાર્થોને બીજો નય વિષય કરતો નથી. આ અપેક્ષાએ પહેલા પહેલાના નયો વિરુદ્ધ મહા વિષયવાળા છે, અને પછીના નયે જે પદાર્થનો વિષય કર્યો છે તે પદાર્થો પહેલા નયના વિષયમાં ગર્ભિત છે, તેથી પછી પછીના નયો અલ્પ અનુકૂળ વિષયવાળા છે. વિશેષ માટે જુઓ, તત્ત્વાર્થરાજવાર્તિક.
એ પ્રમાણે નયોના પ્રકારોનું વર્ણન કરીને હવે તેનું ફળ બતાવતાં ગ્રંથકાર કહે છે કે નય-પ્રમાણ દ્વારા સુખ થાય છે].
-સુખ અધિકાર
આ નય-પ્રમાણ દ્વારા યુક્તિથી શિવસાધન થાય છે, અને તેનાથી અનંતગુણો શુદ્ધ થાય છે. તે અનંત ગુણની શુદ્ધતાનું ફળ સુખ છે, તે કહીએ છીએઃ
સ્વ વસ્તુને દેખતાં, જાણતાં, પરિણમતાં સુખ થાય, આનંદ થાય; તે અનુપમ, અબાધિત, અખંડિત, અનાકુળ (અને) સ્વાધીન છે, (તે) સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સર્વસ્વ છે. જેમ સર્વ ઉદ્યમ ફળ વિના વૃથા હોય, ફળ યુક્ત કાર્યકારી હોય, તેમ સુખ કાર્યકારી વસ્તુ છે.
એ પ્રમાણે સુખ-અધિકાર પૂરો થયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com