________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધિપત્ર
: ૫૧ : નામભેદ કરવા);
સુખ, આનંદ, રસ-સ્વાદ, ભોગતુપ્તિ, સંતોષ (-એવા સુખના નામભેદ કરવા), વીર્ય, બળ-શક્તિ, બળ, ઉપાદાન, તેજ, ઓજ (પ્રતા૫)-( એવા વીર્યના નામભેદ કરવા).
એક અશુદ્ધના વિકાર, વિભાવ, અશુદ્ધ, મળ, પરભાવ, સંસાર, આસ્રવ, રંજકભાવ, ક્ષણભંગ, ભ્રમ-(એવા નામ ભેદ કરવા );
–એ પ્રમાણે બીજા એક એકના નામ માત્રથી ભેદ કરવા.
એક જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય અને કેવળપર્યાય વડ ભેદ કરવા-એ રીતે અન્ય ( ગુણોમાં સમજવું ); જ્ઞાન-દર્શનચારિત્ર વિગેરે એકેક ગુણમાં કોઈ જઘન્ય-ઉત્કૃષ્ટપણાથી પરિણતિભેદ કરવા, એક વસ્તુના નિશ્ચય-વ્યવહાર પરિણતિથી ભેદ કરવા-( એ પ્રમાણે) તે સર્વે ભેદભાવ, વ્યવહારપરિણતિ (એવા) ભેદ કરવા. એવી એવી રીતે એકેકના ભેદ કરવા તે સર્વે ભેદભાવ વ્યવહાર નામ પામે.
(૩) ગુણ બંધાયા, ગુણ છૂટયા, દ્રવ્ય બંધાયું, દ્રવ્ય છૂટું-એવા સર્વે ભાવોને પણ વ્યવહાર કહીએ.
વળી ચિરકાળના (વિ) ભાવના વશથી, સ્વભાવ છોડીને દ્રવ્ય-ગુણ-પર્યાયને અન્યભાવ કહીએ. (જેમ કે-) જ્ઞાનીને અજ્ઞાની, સમ્યકત્વીને મિથ્યાત્વી, સ્વસમયને પરસમણી, સુખીને દુઃખી; અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સુખ-વીર્યને અલ્પરૂપ કહીએ; જ્ઞાનને અજ્ઞાન, સમ્યકત્વને મિથ્યાત્વ, સ્થિરને ચપળ, સુખને દુઃખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને મૂર્તિક, પરમ શુદ્ધને અશુદ્ધ, એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com