________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિણમનશક્તિ દ્રવ્યમાં છે
કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણદ્વારથી જે પરિણતિ ઊપજી તે ગુણની છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો, ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય. અને જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ શા માટે કહો છો ?
તેનું સમાધાનઃ- એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો પૂંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય પરિણમતાં (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની પરિણતિ-એમ તો કહીએ છીએ, પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઊઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તસ્વાર્થ સૂત્રમાં) દીધી છે કે- ‘દ્રવ્યાયાં નિર્ણા
:” દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. મુખપર્યયવેત્ દ્રવ્ય (-ગુણપર્યાયવાળું દ્રવ્ય છે )-એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જ્ઞાનસૂક્ષ્મ સર્વગુણસૂક્ષ્મ (તે) સૂક્ષ્મગુણના પર્યાયો છે, ગુણોમાં આ સૂક્ષ્મપણું સૂક્ષ્મગુણનું છે કે દ્રવ્યનું છે? ( જો ) દ્રવ્યનું છે તો સૂક્ષ્મ ગુણના અનંત પર્યાય શા માટે કહ્યાં? અને (જો) સૂક્ષ્મગુણનું છે તો (તેને)
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫-૪૧. ૨. તત્ત્વાર્થ સૂત્ર પ-૩૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com